સંગેમરમરનો નહીં આજ મલાજો તૂટે,
આ કલમ મૌન થશે શિલ્પ જરા જો તૂટે.
રસ્મ તૂટે કે ભલે રીત રિવાજો તૂટે,
તૂટે માણસ ન કદી, ચાહે સમાજો તૂટે.
ચાલ એવી કોઇ સરહદમાં પ્રવેશી જઇએ,
જ્યાં પ્રકાશો ન તૂટે જ્યાં ન અવાજો તૂટે.
શબ્દ બસ લાકડાની જેમ તણાઇ આવ્યા,
લોહીમાં દર્દ ભર્યાં રોજ જહાજો તૂટે.
એક માણસથી ‘રઇશ’ કેટલા શેરો નીપજે ?
એક જીવતરમાં ‘રઇશ’ કેટલી સાંજો તૂટે?
- ડૉ. રઇશ મનીયાર(Dr. Raeesh Maniar – Shamanu bhalae. Ghazals in Gujarati. Literature and art site)
