કવિતા મનના સુંદર ભાવોને શબ્દોમાં અંકિત કરે છે. જે કવિતા લખી શકે છે, સમજી શકે છે, અનુભવી શકે છે, લખવાનો પ્રયાસ કરે છે, અને કાવ્યમાં નિરૂપાયેલા ભાવોને આત્મસાત કરી શકે છે તેના પ્રેમ, લાગણી, ભક્તિ, કલ્પના, વિશ્વાસ, સુંદરતા, દર્દ, કે ગમ જેવા ભાવો હમેશા સાચા જ હોય છે. એમાં કૃત્રિમતા હોતી જ નથી. કલ્પના ઘણી વખત માનવીને નહી કલ્પેલા સુખનો અનુભવ કરાવી શકે છે. તેથી જ કાવ્યરસિકો કે લેખકોને સુખ શોધવા માટે આંધળી દોટ મુકવી પડતી નથી.
– જય ભટ્ટ (Jay Bhatt – Kavya Bhav. Vicharp in Gujarati. Literature and art site)