‘કાન્ત’ મણિશંકર રત્નજી ભટ્ટ – ઉદગાર

'કાન્ત' મણિશંકર રત્નજી ભટ્ટ  / 'Kant' Manishankar Ratanji Bhatt

વસ્યો હૈયે તારે :
રહ્યો એ આધારે :
પ્રિયે, તેમાં મારે પ્રણય દુનિયાથી નવ થયો !
નવા સંબંધોનો સમય રસભીનો પણ ગયો !
નહિ તદપિ ઉદ્વેગ મુજને :
નયન નિરખે માત્ર તુજને :
હરે દ્રષ્ટિ, વ્હાલી ! સદાય મૃદુ તારી જ રુજને
સદા રહેશે એવી :
સુધા વર્ષા જેવી :
કૃતિ માનું, દેવી ! ક્ષણ સકલને જીવન તણી:
પ્રમત્તાવસ્થામાં નઝર પણ નાખું જગ ભણી !

         - ‘કાન્ત’ મણિશંકર રત્નજી ભટ્ટ (‘Kant’ Manishankar Ratanji Bhatt – Uudgar. Poems in Gujarati. Literature and art site)

3 Responses to “‘કાન્ત’ મણિશંકર રત્નજી ભટ્ટ – ઉદગાર”

  1. સુંદર મનભાવન રચના… અદભુત ઉદગાર…

    પ્રિયામાં રમમાણ થઈ ગયા પછી જગતની નથી સુધ રહેતી કે નથી રહેતો સમય વિશ્વ સાથે સંબંધ બાંધવાનો અને ખૂબી તો એ કે એનો કોઈ વસવસો પણ નથી રહેતો…

    આજકાલ ગાંધી-અનુગાંધીયુગના કવિઓની ખૂબ કવિતાઓ લઈ આવો છો ને , મિત્ર! આભાર…

  2. ‘કાન્ત’ મારા અતિપ્રિય કવિ છે અને આ કવિતાની અંતિમ પંક્તિ ‘પ્રમત્તાવસ્થામાં નઝર પણ નાખું જગ ભણી !’ ની ખુમારી પણ એટલી જ પ્રિય છે… આભાર, દોસ્ત.

    -જયદીપ.

  3. Harish says:

    kavi kaantnaa ATIGNAAN e kaavyanaa shabdo koi paase hoy to harishdesktop at yahoo dot com maa aa khandakavyanaa shabdo male evu koik kare to saaru. tamaro aabhaar.

Leave a Reply