જો આપ ઇચ્છતાં હો કે વધુ વાચકો તથા વિસ્તૃત વર્ગ માટે આપના બ્લૉગનો "ફોર એસ વી - સંમેલન"માં સમાવેશ થાય, તો "ફોર એસ વી -પ્રભાતનાં પુષ્પો" પર આપના બ્લૉગની લિંક સાથે comment લખો. બધાં જ નવા બ્લૉગ્સની મને જાણકારી ન પણ હોય, જેથી શક્યતા છે કે આપનો બ્લૉગ ચૂકી જવાય. - એસ વી

નવરાત્રિની રાસ રમઝટ
(click here for complete list)

રાત જાય છે - અમર પાલનપુરી

November 21st, 2008 by નીરજ

રાત જાય છે વાત અધૂરી છે,
રોકો રોકો બહુ જરૂરી છે.

આગળ વાંચો ...

અધ્યાય:છ્ઠ્ઠો

November 21st, 2008 by Gopal Parekh

અધ્યાય છઠ્ઠો
ભગવદ ગીતા એટલે….//શ્રી સુરેશ દલાલ

પવનને પીંજરામાં પૂરવાજેવી વાત
 
ગીતાનો છઠ્ઠો અધ્યાય ધ્યાનયોગ છે.ગીતા એક રીતે જોઇએ તો
માનસશાસ્ત્રનો ગ્રંથ છે. એમાં કવિતા,તત્ત્વજ્ઞાન, માનસશાસ્ત્ર—આ બધું જ છે. મન છે એટલે તો એ માણસ કહેવાય છે. ગીતા માણસને જીવનનો અભિગમ આપનારો ગ્રંથ છે. મન સાથે કેટલી બધી વસ્તુઓ સંકળાયેલી છે !આમ દેખીતી રીતે મન ક્યાંય દેખાતું […]

આગળ વાંચો ...

અધ્યાય:પાંચમો

November 21st, 2008 by Gopal Parekh

અધ્યાય:પાંચમો
ભગવદ ગીતા એટલે…..//શ્રીસુરેશ દલાલ

જાત પ્રત્યે અમમત્વ અને જગત પ્રત્યે સમત્વ
 
ગીતાનો પાંચમો અધ્યાય એટલે કર્મસન્યાસ યોગ. આ શીર્ષક સૂચક છે  અને સૂક્ષ્મ છે. એટલું સૂક્ષ્મ કે અહીં નહિ લખાયેલું પણ વાંચવાનું છે, સમજવાનું છે અને એનું અર્થઘટન કરવાનું છે.કર્મનો સંપૂર્ણપણે ત્યાગ કઇ રીતે થઇ શકે? મારે કશું નથી કરવું એ પણ એક કર્મ તો કહેવાયને […]

આગળ વાંચો ...

આજનો સુવીચાર

November 21st, 2008 by સુરેશ

હું માત્ર
માણસોના ઉમદા ગુણો જ
જોવાનું પસંદ કરું છું.
હું જાતે
સાવ દોષરહીત બની જાઉં; 
તેમ પણ હું ઈચ્છતો નથી.
-ગાંધીજી
      

આગળ વાંચો ...

નયનને બંધ રાખીને - બેફામ

November 20th, 2008 by વિવેક

નયનને બંધ રાખીને મે જયારે તમને જોયા છે
તમે છો એના કરતાં પણ વધારે તમને જોયા છે
ઋતુ એક જ હતી પણ રંગ નહોતો આપણો એક જ
મને સહરાએ જોયો છે, બહારે તમને જોયા છે
પરંતુ અર્થ એનો એ નથી કે રાત વીતી ગઇ
નહિંતર મેં ઘણી વેળા સવારે તમને જોયા છે
હકીકતમાં જુઓ તો એય એક સપનું હતું મારું,
ખુલી આખે […]

આગળ વાંચો ...

દીવો – એક અવલોકન

November 20th, 2008 by સુરેશ

    રસોડાની છતમાં દીવો છે. આખા રસોડાને એ અજવાળે છે. એક દીવસ એ ઉડી જાય છે – આકાશમાં નહીં, પણ એમાંનો ગોળો નકામો થઈ જાય છે! હું એ ગોળો બદલવા સીડી ઉપર ચઢું છું. એની શેડ છુટી જ મુકેલી છે; કદાચ ભુલથી એમ હશે. ગોળો બદલવા હું શેડને ઉંચી કરી, પકડી રાખું છું.
   […]

આગળ વાંચો ...

અકળ સંવાદ છે : રવીન્દ્ર પારેખ

November 20th, 2008 by Pinki

 
જાત જોડે ચાલતો એવો અકળ સંવાદ છે,
બોલતું કોઈ નથી ને ઊઠતો પ્રતિસાદ છે.
કોઈપણ પળમાં તને ભૂલી શકું એ ભૂલ ના,
ને યુગો લગ યાદ રહું એવીય પળ એકાદ છે.
હોય તું તો બારણા વાસી તને રોકી શકું,
કઈ રીતે રોકું હું એને એ તો કેવળ યાદ છે.
એમ લાગે વિશ્વથી જાણે અલગ હું થઈ ગયો,
કેમ કે ના કોઈને બાકી […]

આગળ વાંચો ...

એની કોઈ સજા નહી…..

November 20th, 2008 by Manthan Bhavsar

કરું હું એક ખતા ને બની જાય એ ગુનો,
અને એ દિલ તોડ્યા કરે એની કોઈ સજા નહીં…
દિવસ પસાર થાય, ક્યાંક જીવું ને ક્યાંક મરું,
અને એ હાલત ને લાચારી સમજે એની કોઈ સજા નહીં…
જુદાઈના ગમમાં રહું ને ઉમ્મીદ હું રાખ્યા કરું,
અને એ ઉમ્મીદ પર ખરા ના ઉતરે એની કોઈ સજા નહીં…
એક મુલાકાત હું ચાહું ને એ […]

આગળ વાંચો ...

ફ્રેશનેસનો અનુભવ ક્યારે થાય?

November 20th, 2008 by Kartik (કાર્તિક) Mistry (મિસ

* જીજ્ઞેશભાઇનાં બ્લોગ પર બી.એન.દસ્તૂરની વાર્તા વાંચીને મને પણ યાદ આવ્યું કે આવો એક અનુભવ તાજેતરમાં જ થઇ ગયો.
થોડા દિવસ પહેલાં રીલાયન્સ ફ્રેશમાંથી ઘણી બધી ખરીદીની સાથે અન્ડરવેર પણ લીધા, ઘરે જઇને ચેક કર્યા અને એકાદ પીસ એક દિવસ ટેસ્ટ પણ કર્યો. પણ, આખો દિવસ અકળામણ થાય. બીજા દિવસે ડરતો-ડરતો પાછો આપવા ગયો તો, તેમણે […]

આગળ વાંચો ...

પરિચય થવા લાગે

November 20th, 2008 by Administrator

 
બને એવું, સમસ્યાઓને પણ વિસ્મય થવા લાગે,
કશું અંધારમાં ઊગે, ને સૂર્યોદય થવા લાગે.
અધરના ગોખમાં બેઠાં રહે શબ્દોનાં પારેવાં,
પરસ્પર હોય ખામોશી અને નિર્ણય થવા લાગે.
રહે સરખું ધબકતું ત્યાં સુધી તો આપણું હૈયું,
અને ગૂંગળાય ત્યાંથી કોઈનો આશય થવા લાગે.
હવે પીનાર કે પાનારની નૈયતને શું રડવું ?
ભરેલો જામ ફૂટે ને તરસ અક્ષય થવા લાગે !
પ્રથમ આકાર પામે લાગણી […]

આગળ વાંચો ...

ધાર્મિક અને સ્કીતઝોફ્રેનીક લોકોના ઈશ્વરી અનુભવો-

November 20th, 2008 by pragnaju

સ્કીતઝોફ્રેનીયા એ એક માનસિક રોગ છે. આ રોગથી પીડાતા દર્દીઓ ગૂઢ ઈશ્વરી અનુભવ કરતા હોય છે. ધાર્મિક લોકોના ઈશ્વરી અનુભવો અને સ્કીતઝોફ્રેનીક લોકોના ઈશ્વરી અનુભવોમાં ઘણી સમાનતા જોવામાં આવી છે. ઘણા સંશોધકોનું માનવું છે કે ધાર્મિક લોકોના ઈશ્વરી અનુભવોનું Altered Concious State તરીકે અર્થઘટન કરી શકાય છે. Psychology અને Nuerology ના ભેગા થવાથી આ ક્ષેત્રમાં […]

આગળ વાંચો ...

પ્રેમના આંસુ

November 20th, 2008 by Pradip Brahmbhatt

                           પ્રેમના આંસુ

તાઃ૨૦/૧૧/૨૦૦૮                         પ્રદીપ બ્રહ્મભટ્ટ
લકીર દીઠી એક પ્રેમની ને ઉજ્વળ સ્નેહ દેખાય
મમતાની મીઠી લાગણી હૈયે આજ મારે ઉભરાય
                            ….ત્યાં આંસુ પ્રેમના આવી જાય.
અજબ એવા સંસારમાં,ગજબ મળે જગતમાં પ્રીત
ઉભરો અંતરમાં ત્યાંઆવે,જ્યાં સાચી પ્રેમની રીત
મળી ગઇ મહેંક માનવતાની, ના બીજી કોઇ શોધ
પ્રેમની પાવક સૃષ્ટિ મળી, જ્યાં નથી બીજો લોભ
                             ….ત્યાં આંસુ પ્રેમના આવી જાય.
પલકએક પૃથ્વી તણીને બીજી પળે મળે નિરાકાર
અજબ […]

આગળ વાંચો ...

સત્યબોધ – રવીન્દ્રનાથ ટાગોર

November 20th, 2008 by rdgujarati

આજે આ મેદાન ઉપર ચાંદનીનો પ્રકાશ જોઈને મને ઘણા દિવસ પહેલાંની બીજી કેટલીક ચાંદની રાતો યાદ આવે છે. ત્યારે હું પદ્મા નદીમાં વાસ કરતો હતો. પદ્માના ભાઠામાં હોડી બાંધેલી રહેતી. શુકલ પક્ષની રાત્રે કેટલીય વાર હું એકલો ભાઠામાં ફર્યો છું. ક્યાંય ઘાસ નહિ, ઝાડ નહિ, ચંદ્રના પ્રકાશ સાથે રેતીના પટનો છેડો મળી ગયો હોય – […]

આગળ વાંચો ...

મિયાં ફુસકીનું સપનું – જીવરામ જોષી

November 20th, 2008 by rdgujarati

મિયાં ફુસકી ઘોડા પર ચડ્યા છે. ગામના પાદરમાં પહોંચી ગયા. ગામના પાદરમાં મોટો એક વદલો હતો. આ વડલાને ફરતો મઝાનો ઓટલો. તે ઓટલે ભીમો ડાંગર બેઠેલો. બીજા બે-ચાર માણસો બેઠા હતા. એવામાં દલા શેઠ આવી પહોંચ્યા. ત્યાંથી ફુસકી મિયાં નીકળ્યા. દલા શેઠને જોતા ફુસકી મિયાંએ ખોંખારો ખાધો. દલા શેઠ હોઠ દબાવીને રહી ગયા. મનમાં કંઈ […]

આગળ વાંચો ...

આજની ખાટી મીઠી…

November 20th, 2008 by nilam doshi

દરેક માનવીનું જીવન એ એવી ડાયરી છે કે તે એક બાબત લખવા ઇચ્છે છે…અને તે લખી નાખે છે..બીજી જ બાબત…
      

આગળ વાંચો ...

November 20th, 2008 by ડૉ. મહેશ રાવલ

તરત ચર્ચા થશે…વાત વિસ્તારો,તરત ચર્ચા થશેસ્હેજ પરવારો,તરત ચર્ચા થશેઆમ તો સંતાડવાનું છે ચલણઆંસુ…

આગળ વાંચો ...

સાગર અને શશી : કાન્ત

November 20th, 2008 by Pinki

 
 આજ,મહારાજ ! જલ ઉપર ઉદય જોઇને
ચંદ્રનો, હૃદયમાં હર્ષ જામે,
સ્નેહઘન કુસુમવન વિમલ પરિમલ ગહન,
નિજ ગગનમાંહિ ઉત્કર્ષ પામે;
પિતા, કાલના સર્વ સંતાપ શામે !
નવલ રસ ધવલ તવ નેત્ર સામે,
પિતા, કાલના સર્વ સંતાપ શામે !
જલધિજલ ઉપર દામિની દમકતી,
યામિની વ્યોમસર માંહિ સરતી,
કામિની કોકિલા કેલી કૂંજન કરે,
સાગરે ભાસતી ભવ્ય ભરતી;
પિતા, સૃષ્ટિ સારી સમુલ્લાસ ધરતી !
તરલ તરણી સમી સરલ તરતી,
પિતા, સૃષ્ટિ સારી […]

આગળ વાંચો ...

ગઝલ - ચંદ્રેશ મકવાણા ‘નારાજ’

November 20th, 2008 by ગુંજન ગાંધી

ચંદ્રેશ મકવાણાની એક ગઝલ-મારી સમજણના છેડા પર જેની પક્કડ ભારી છે,મોડે મોડે જાણ થઈ એ માણસ ધંધાદારી …

આગળ વાંચો ...

(ગુર્જરી સોળે સજી શણગાર વચ્ચે આવશે : ગઝલપઠન) -આદિલ મંસૂરી

November 20th, 2008 by ઊર્મિ

આજે એક આદિલ-ગઝલ… શ્રી આદિલભાઈનાં જ અવાજમાં સાંભળીએ…

(ગુર્જરી સોળે સજી શણગાર…)
સ્વર : શ્રી આદિલ મંસૂરી
[See post to listen to audio]
લાગણી ને આમનાં વિસ્તાર વચ્ચે આવશે,
આપણા હોવાપણાનો ભાર વચ્ચે આવશે.
કાન મીંચી મૌનનાં ખંડેરમાં બેઠા પછી,
સૂક્ષ્મતમથી સૂક્ષ્મતમ ઉદગાર વચ્ચે આવશે.
આ સડકની સામસામે આપણું હોવું અને,
સાયકલ રીક્ષા ખટારા કાર વચ્ચે આવશે.
આંગણું સંબંધનું કોરું રહી જાશે અગર,
એક દી વરસાદ […]

આગળ વાંચો ...

આવશે (તઝમીન)

November 20th, 2008 by ઊર્મિ

જનાબ શ્રી આદિલ મંસૂરી સાહેબનાં એક અમર શેર પર લખેલી એક તઝમીન… શ્રી આદિલસાહેબને અંજલીરૂપે અર્પણ.

(હોવાનો ભણકાર કે ન હોવાની પાનખર ? નવેમ્બર 7, 2008)
શબ્દે શબ્દે અર્થનો વિસ્તાર વચ્ચે આવશે,
મૌનનાં પણ એક-બે ટહુકાર વચ્ચે આવશે,
આવશે, આ દિલનાં પણ ભણકાર વચ્ચે આવશે!
આ ગઝલનાં આયનાઘરમાં કદમ મૂકો અને *
ગુર્જરી સોળે સજી શણગાર […]

આગળ વાંચો ...

ભગવદ ગીતા અધ્યાય :ચોથો

November 20th, 2008 by Gopal Parekh

ગુરુવાર,વીસમી નવેમ્બર2008 ને કારતક વદ આઠમ 2065
 
અધ્યાય :ચોથોભગવદ ગીતા એટલે….//શ્રી સુરેશ દલાલ
 
જડતાને જડમૂળથી ઉખેડે તે કૃષ્ણ
 
ગીતા વાંચવી એક વાત છે અને ગીતાને  પામવી  તે બીજી વાત છે.ગીતાના પ્રત્યેક અધ્યાયમાં યોગ શબ્દનું મહત્ત્વ છે. અનુકૂળ પરિસ્થિતિ હોય કે પ્રતિકૂળ, પ્રત્યેક સ્થિતિનું યોગમાં રૂપાંતર કરવું જોઇએ. વિષાદને પણ યોગ કહ્યો છે.વિષાદ જ્યારે યોગનું સ્વરૂપ લે છે ત્યારે […]

આગળ વાંચો ...
Mortgage Loan Home Car