જો આપ ઇચ્છતાં હો કે વધુ વાચકો તથા વિસ્તૃત વર્ગ માટે આપના બ્લૉગનો "ફોર એસ વી - સંમેલન"માં સમાવેશ થાય, તો "ફોર એસ વી -પ્રભાતનાં પુષ્પો" પર આપના બ્લૉગની લિંક સાથે comment લખો. બધાં જ નવા બ્લૉગ્સની મને જાણકારી ન પણ હોય, જેથી શક્યતા છે કે આપનો બ્લૉગ ચૂકી જવાય. - એસ વી

નવરાત્રિની રાસ રમઝટ
(click here for complete list)

કોમનવેલ્થ રમતો અને …

September 4th, 2010

… આપણું આ ટાઈમ્સ ઓફ ઈન્ડિયા.

જુઓ આ સમાચાર: https://churumuri.wordpress.com/2010/09/03/the-times-of-india-and-commonwealth-games/

આ તો માત્ર ઉદાહરણ છે – ગુજરાતી છાપાંઓ પણ કંઈ ઓછાં નથી. ચોક્કસ સમાચારો વાંરવાર કેમ ચગે છે – એ નવાઈની વાત નથી.

(સ્ત્રોત: https://twitter.com/vinayakh/status/22959991987)


આગળ વાંચો ...

યુગ કલ્યાણી ………–રમેશ પટેલ(આકાશદીપ)-

September 4th, 2010

જન્માષ્ટમીની મંગલ શુભેચ્છા સાથે શ્રાવણ માસે ભક્તિ અને આત્મચીંતનથી આ મનુષ્ય દેહે

સૌના હિતમાં આપણી કાર્યશક્તિ વપરાય એ જ ભગવાનની શ્રેષ્ઠ પ્રાર્થના છે.

આ સંસાર દ્વંદ્વ છે. પ્રકૃતિ પ્રમાણે આ આયખું સર્વ જીવો વિતાવે છે પણ મનુષ્યને

બુધ્ધી આપી ,એક સ્વતંત્ર શક્તિ દીધી છે, તો તેનો બહુજન હિતાય ઉપયોગ એજ

સાચો ધર્મ છે. યુગો યોગોથી ઋષીઓએ મનોમંથન બાદ સમયાનુકૂલ ઉપદેશો આપ્યા.

આધુનિક યુગમાં આપણે સૃષ્ટિના અનેક રહસ્યો જાણ્યા અને તે પ્રમાણે પરમ શક્તિને

ઓળખતા ગયા . પણ હિતકારી વાત માટે સંત હૃદય જરુરી છે એ સનાતન સત્ય

સર્વદા એક જ રહેશે એ ભાવ સાથે સ્વામી નારાયણ સંપ્રદાયના ભગવદ સંત ગુરુ

પ્રમુખ સ્વામિને ચરણ વંદન કરતાં આ સ્તુતિ રચાઈ…. 

 

Thanks to webjagat for this picture..

The eternal vedas are the fundamental scriptures of the hindus.

ભગવાન શ્રીકૃષ્ણ ગીતામાં કહે છે…

सर्वधर्मान परित्यज्य मामेकं शरणं व्रज

अहं त्वां सर्वपापेभ्यो मोक्षयिष्यामि मा शुचः!!

come together, speak together, let your minds be in harmony

as the devas of old sat together in harmony to worship.

વચનામૃત…..ગઢડા “-૫૯

ચાર વેદ,પુરાણ, ઈતિહાસ એ સર્વમાં એજ વાર્તા છે જે

ભગવાન ને ભગવાનના  સંત એજ કલ્યાણકારી છે.”

આધ્યાત્મિક ક્ષેત્રે ક્રાન્તિના સર્જક,ભગવાન શ્રી સ્વામિનારાયણના જીવન કવનમાંથી વહેતી

 સત્સંગની પાવન ગંગા આ પૃથ્વી પટે, સંસ્કાર, સહિત્ય અને કલાને સંગીતના અમૃત

 માધ્યમથી ભીંજવી રહીછે. ગુરુ પરંપરાથી, આધુનિક સમાજના વિશ્વકર્મા સમ વિશ્વસંત,

પ.પૂ.પ્રમુખસ્વામીના ચરણ કમળમાં ,તેમના યુએસએ ના વિચરણ સમયે,સેવામાં

 સમર્પિત રચના.

યુગ કલ્યાણી .……..–રમેશ. પટેલ(આકાશદીપ)-September,2007

જગ કલ્યાણે જગે અવતરીયા,જય મંગલ વર્તે છપૈયા
તીર્થ ભૂમિના જાગ્યા સ્પંદન,જ્યાં ચરણ ચૂમ્યા સવૈયા

ગુરુવર રામાનંદજીએ નામજ ધરીઆ,

શ્રી સહજાનંદ સ્વામી નારાયણમુનિ
ગુર્જર પંથે ઘરઘર ગૂંજે,જયશ્રી સ્વામિનારાયણની સ્તુતિ

ભૂલી   પથ   ગુણીજન ઘૂમે, વરતે  વિષમ  કાળની   છાયા
હરિસંતો હરખે અંતર અજવાળે,હેલે ચઢી ભક્તિની માયા

ભગવંત શ્રી સહજાનંદ રંગે ,પૂણ્યે જાગ્યા સૌભાગ્ય અનેરા
સરળ નમ્રતા સાધુતા શોભે, પથ પથ પ્રગટે  જ્ઞાનના ડેરા

મંદિર  ગુરુકુળ  અક્ષરધામથી, વહે સંસ્કાર ઝરણાં આનંદે
ગુરુ પરંપરા રમતી  જનહીતે, પાવન દર્શને શીશ રે વંદે

વનવાસીને    કર્યા  સદાચારી, વિશ્વસંતની  કૃપા  અનેરી  માણી
હરિમાળામાં દીઠું પ્રભુ શરણું,તપધારી સંતો દિસે યુગ કલ્યાણી

કર જોડી ‘આકાશદીપ’ વંદે, જ્ઞાન ભક્તિથી અવની છે શણગારી
પ્રમુખ  સ્વામીને ચરણે   શરણે, ઝીલશું   કરુણા   વાણી    હિતકારી

–રમેશચન્દ્ર જ. પટેલ(આકાશદીપ)-September,2007

 

આગળ વાંચો ...

બેહિસાબ કાંટા છે…

September 4th, 2010

04_radi radi ne vikheraayi raat
(તરી રહી છે સકળ કાયનાત ફૂલો પર…           …ઘરનું ગુલાબ, ૦૫-૧૧-૨૦૦૯)

*

ફૂલો તો શું છે, વધુ કામિયાબ કાંટા છે,
અમારી તો પળેપળનો હિસાબ કાંટા છે.

ભલે બધા જ કહે કે ખરાબ કાંટા છે,
જીવનના પ્રશ્નનો સાચો જવાબ કાંટા છે.

રહે છે પાંદડીઓમાં છુપાઈને ખુશબૂ,
જિગર છે કોની ફરે બેનકાબ ? કાંટા છે !

તમે તો બેસી ગયાં સ્વપ્ન રોપવા માટે,
તમે શું જાણો છો, અહીં બેહિસાબ કાંટા છે ?!

બધો મદાર છે જોવાની પદ્ધતિની ઉપર,
પરખ ન હોય તો સઘળાં ગુલાબ કાંટા છે.

બધી જ વાતમાં ચાલે નહીં આ હડિયાદોડ,
ज़रा संभल के तो चलिए, जनाब ! કાંટા છે.

કવિને હોય શું વળગણ કહો તો ફૂલોનું ?
હો દર્દ લાજિમી તો લાજવાબ કાંટા છે.

- વિવેક મનહર ટેલર
(૨૮-૦૮-૨૦૧૦)

*

PA190727
(અમને મહેંકવાના કોડ….                                  …કચ્છ,૧૯-૧૦-૨૦૦૯)

આગળ વાંચો ...

શતમ્ જીવમ્ શરદ: |

September 4th, 2010

ટહુકો.કોમના શબ્દ અને સૂરોથી વિશ્વભરના ગુજરાતીઓમાં જાણીતી અને માનીતી બનેલી જયશ્રીની આજે વર્ષગાંઠ છે… વર્ષગાંઠ ભલે દર વરસે આવતો હોય અને કેટલાક નિરાશાવાદી દરેક વર્ષગાંઠને મૃત્યુ નિકટ લઈ જતી ક્ષણ કહેતાં હોય, પણ અમે તો આ દિવસને દિલોજાનથી ઉજવવામાં માનીએ છીએ અને વહાલસોયી જયશ્રીને આ દિવસ હજારો વાર આવતો રહે એ જ શુભકામના પાથવીએ છીએ…

OLYMPUS DIGITAL CAMERA

જન્મદિવસની મબલખ શુભકામનાઓ…

વિવેક-ધવલ-ઊર્મિ
શબ્દો છે શ્વાસ મારા, લયસ્તરો, ઊર્મિસાગર.

આગળ વાંચો ...

સખીને -ગની દહીંવાળા

September 4th, 2010

આજનું આ સખી-ગીત ખાસ વ્હાલી સખી જયશ્રીને માટે, એના જન્મદિવસે… જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ, જયશ્રી !

friends_ph12_l

(ન બોલવામાં નવગુણ સૈ !       ફોટો: વેબ પરથી)

એક ઘૂંટડો અમે તે માંડ પીધો, અમલ ચઢ્યો સીધો,
ન બોલવામાં નવગુણ સૈ !
એણે એવી તે નીંદરું સીંચી, કે આંખ અમે મીંચી,
ન બોલવામાં નવગુણ સૈ !

એક દરિયો, જે જોમથી ભરિયો, તે વાટમાં ઊતરિયો,
ને દોમ દોમ ધસતો આવ્યો,
એની છોળોએ અમને તે છોલ્યાં, ને ફૂંક ફૂંક ફોલ્યાં,
ન બોલવામાં નવગુણ સૈ !

એક વેણુ, જે દૂર દૂર વાગી, ને હાડોહાડ લાગી,
કે રોમ રોમ ગીતો ફૂટ્યાં,
તેની વંશાવળીને ડામ દીધા, કે હારોહાર સીધા,
ન બોલવામાં નવગુણ સૈ !

એક વાયરે અમે તે ઘેરાયાં, ને જ્યાં ત્યાં વેરાયાં,
કે અંગ અંગ ડોલરિયાં,
એની લહેરખીને લાખ લાખ રીતે ઝુલાવી અમે ભીંતે,
ન બોલવામાં નવગુણ સૈ !

એક ટોડલે અમે તે ટીંગાયાં, ને મીંઢળ બંધાયાં,
કે દૂર દેશ માફા હાલ્યા,
એની ધરતી, તે તોરમાં તરતી, આ પાનીઓએ વર્તી,
ન બોલવામાં નવગુણ સૈ !

(3 - 7 - 1976)

-ગની દહીંવાળા

આગળ વાંચો ...

દોસ્ત ને દોસ્ત કો પેહચાના !

September 4th, 2010

ચન્દુનો ગાવાનો કાર્યક્રમ હતો.ંmaનીયો કે મને બીજી રો નો પાસ આપજે, ચન્દુ કે ‘તું તો હમેશા છેલ્લી રો મા બેસે છે ને ? ‘મમneeયો કે બીજી રો તારા જેવાના પ્રોગ્રમમા છેલ્લીજ હશે.


આગળ વાંચો ...

પતંગિયું – કૃષ્ણ દવે

September 4th, 2010

કવિ શ્રી કૃષ્ણ દવે ને આજે એમના જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે માણીએ એમનું આ મઝાનું બાળગીત..!

***********

પતંગિયું કહે મમ્મી,મમ્મી, ઝટ પાંખો પ્હેરાવ,
ઊઘડી ગઈ છે સ્કૂલ અમારી, ઝટ હું ભણવા જાઉં.

બીજાં કરતાં જરાક જુદી છે આ મારી સ્કૂલ,
જેના પર બેસી ભણીએ તે બૅંચ નથી છે ફૂલ;
લીલી છમ્મ પાંદડીઓ કહે છે જલ્દી જલ્દી આવ. -પતંગિયું.

પહેલાં પિરિયડમાં તો અમને મસ્તી ખૂબ પડે છે,
ઝાકળનાં ટીપાંઓ જ્યારે દડ દડ દડ દદડે છે;
કિરણો સાથે રમીએ છીએ પકડાપકડી દાવ. – પતંગિયું.

લેસનમાં તો સુગંધ આપે અથવા આપે રંગ,
બધાં જ દફતર ખૂલે ત્યાં તો નીકળે એક ઉમંગ;
મધમાખી મૅડમ કહે ચાલો મીઠું મીઠું ગાવ. – પતંગિયું.

- કૃષ્ણ દવે

(આભાર - વેબમહેફિલ)

આગળ વાંચો ...

Cat and Dog story

September 4th, 2010

મનીયો એના દીકરા હરે ભાર જતો;તો.ત્યાં રસ્તા પર એક બલાડો એની પર કુદ્યો.મનીયો એની હામે કુતર્યા જેમ બરાડ્યો “હાઉ હાઉ” એટલે બલાડો ભાગી ગ્યો. મનીયો દીકરાને કે” “જોયું બે ભાશા આવડતી હોય તો કેટલો ફાયદો થાય.


આગળ વાંચો ...

ગઝલ – ગૌરાંગ ઠાકર

September 4th, 2010
આ બધું કેમ નવું લાગે છે કોઈ હૈયામાં ગયું લાગે છે જો પવન દોડી મદદમાં આવ્યો ફૂલને ખુશબૂ થવું લાગે છે હાથમાં હાથ મિલાવી રાખો આ જગત હાથવગું લાગે છે પ્યાસ એમ જ નથી બૂઝી, મિત્રો લોહીનું પાણી થયું લાગે છે વાત કહેતાં તો પડી ભાંગ્યો છે દર્દ હોવાપણાંનું લાગે છે ખોળિયામાં આ નવી હલચલ છે જીવને ઘેર જવું લાગે છે - ગૌરાંગ ઠાકર પ્રેમના ગુલાબી મિજાજથી ઉઘડતી [...] આગળ વાંચો ...

ગઝલ:મારા વગર-મુહમ્મદઅલી વફા

September 4th, 2010
મારા વગર-મુહમ્મદઅલી વફા   મેં ઘણું જીવી લીધું મારા વગર, ને ઘણું પામી લીધું તારા વગર.   ક્યાં હશે  તે બાળપણનાં છીપલાં, હું નદી શોધી રહ્યો  ધારા વગર.   ફૂલ નહિ તો કાંટાઓ પણ ચાલશે, આભ આ શોભે નહિ તારા વગર.   કાળજું આ વજ્રસમું ના  પીગળે, આંખના આ અશ્રુઓ ખારા વગર.   આ વફાને [...] આગળ વાંચો ...

आत्मा को देखें, खोजें और समझें

September 3rd, 2010

આગળ વાંચો ...

आघ्यात्मिकता-निष्क्रियता नहीं सिखाती

September 3rd, 2010

આગળ વાંચો ...

પર્વતને નામે પથ્થર દરિયાને નામે પાણી

September 3rd, 2010

પર્વતને નામે પથ્થર દરિયાને નામે પાણી,
’ઈર્શાદ’ આપણે તો ઈશ્વરને નામે વાણી.

આંસુ ઉપર આ કોના નખની થઈ નિશાની ?
ઈચ્છાને હાથ-પગ છે એ વાત આજે જાણી.

આ શ્વાસની રમતમાં હારી ગયો છું તો પણ,
મારા ઘરે પધારો ઓ ગંજીપાની રાણી.

ક્યારેક કાચ સામે ક્યારેક સાચ સામે,
થાકી જવાનું કાયમ તલવાર તાણી-તાણી.

થાકી જવાનું કાયમ તલવાર તાણી-તાણી,
’ઈર્શાદ’ આપણે તો ઈશ્વરને નામે વાણી.

-ચિનુ મોદી ‘ઈર્શાદ’


Filed under: ચિનુ મોદી ‘ઈર્શાદ' Tagged: ચિનુ મોદી ‘ઈર્શાદ', પર્વતને નામે પથ્થર દરિયાને નામે પાણી આગળ વાંચો ...

Navadhabakti….Tulsikrut Ramayan

September 3rd, 2010

1) Pratham Bhagati Santan kar sangaa

Which means: The first step to devotion (Bhakti) is to keep company of the Saintly

2) Doosri rati mam kathaa prasangaa

Which means: The second step is to enjoy listening to discourses pertaining to the Lord.

3) Guru pankaj seva, teesri bhakti amaan

Which means: The third step, is to believe, humbly in Guru/God.

4) Chouthi Bhagati mam gun gaan, karai kapat tajee gaan

Which means: The fourth step is earnestly (without hypocrisy) sing the praises of the Lord.

5) Mantra jaap mam dridh Visvaasaa, Pancham, bhajan jo Ved Prakaasaa

Which means: Chant the Vedic Mantras with immense faith.

6) Chattha dasa seela birati bahu karmaa, nirat nirantara sajjan dharma

Which means: The sixth step is not to react in adverse circumstances, yet act, perform ones karma, like the great ones do.

7) Saatvam sam mohi main jag dekhaa, motey sant adhik kar lekhaa

Which means: The seventh step is to perceive the world as God Himself.

And believe the saintly to be greater than the Lord.

8) Aathva jathaa laabh santoshaa, sapneu nahin, dekhai par doshaa

Which means: The eighth, is a state (which one arrives at when one travels the first seven steps) where there is no desire left, but the gift of perfect peace. (In this state) one does not see fault in others, even in a dream.

9) Navam saral sab san chhal heena, mam bharos heenya harash na deenaa

Which means: In this state one has full faith in the Lord, becomes (child-like) simple with no hypocrisy. In this state, he does not fly high or sink low (but becomes equanimous).

Sri Ram adds that Shabri’s Bhakti is perfectly complete.

Yet if anyone were to have taken even one step towards devotion, out of all nine, he/she would be very dear to the Lord.


આગળ વાંચો ...

ગાયબ

September 3rd, 2010

ભોર ભયો ને તિમિર ગાયબ

જ્ઞાન લાધ્યું  અજ્ઞાન ગાયબ

મારગ લાધ્યો ને  કેડી ગાયબ

વિચાર નિર્મળ મુંઝવણ ગાયબ

પ્યાસ બુઝાઈ ને તરસ  ગાયબ

પ્રેમ સાંપડ્યો વલખાં ગાયબ

આંતરડી ઠારી શોક ગાયબ

સાગરે સમાઈ ઉત્કંઠા ગાયબ

મિલન મધુરું વિયોગ ગાયબ

સત્ય લાધ્યું અસત્ય ગાયબ

દર્દ શમ્યું ને પીડા ગાયબ

હાસ્ય રેલાયું દુઃખડા ગાયબ

ખુશી ફેલાણી દિલગિરી ગાયબ

રિમઝિમ વર્ષા ઉદાસી ગાયબ

શાંતિ પ્રસરી અશાંતિ ગાયબ

માયાથી મુક્તિ જગત ગાયબ

પ્રભુની ઝાંખી એષણા ગાયબ


આગળ વાંચો ...